દેશના અનેક રાજ્યોમાં આકાશમાંથી આફત બનીને વરસાદ તૂટી પડ્યો છે. ઉત્તરાખંડના અનેક ભાગોમાં શનિવારે સતત વરસાદના કારણે પર્વત વિસ્તારોમાં અનેક ઠેકાણે ભૂસ્ખલન થયું હતું. જેના કારણ બદરીનાથ અને કેદારનાથને જોડતા નેશનલ હાઈવે સહિત 250 જેટલા રસ્તાઓ પર ટ્રાફિક ખોટકાયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.